૧૫. સમાપન

(અ) આવ્યા અબજીબાપા

શ્રી શ્રીજીમહારાજ જે, અનંત મુક્તના રાય;

તે પ્રભુના સંકલ્પથી, આવ્યા અબજીબાપા.-1

સંવત ઓગણીસો એકની, પ્રબોધિની ને સોમ;

ધન્ય ઘડી ધન્ય ભાગ્ય જે, આવ્યા અબજીબાપા.-2

ધન્ય ધન્ય કત્સ્યપ દેશને, ધન્ય ધન્ય વૃષપુર ગામ;

ધન્ય ધન્ય કણબી જ્ઞાતિને, આવ્યા અબજીબાપા.-3

ધન્ય કુળ પાંચાણીનું, ધન્ય છે દેવબા માત;

અનંત જન્મના પુણ્યથી, આવ્યા અબજીબાપા.-4

પંક્તિ પાછળ રહી ગયા, જેણે પ્રીછ્યા નહિ મહારાજ;

તેની ખામી ભાંગવા, આવ્યા અબજીબાપા.-5

શ્રી શ્રીજીમહારાજનો, દિવ્ય સત્સંગ બાગ;

કૃપા વર્ષા કરી પોષવા, આવ્યા અબજીબાપા.-6

ત્યાગી, ગૃહી, બાઈ-ભાઈના, સૌ સૌના જે ધર્મ;

તેમાં અચળ રખાવવા, આવ્યા અબજીબાપા.-7

મહાપ્રભુની પત્રીથી, વિરુદ્ધ જે જે કર્મ;

તેનાં મૂળ ઉખેડવા, આવ્યા અબજીબાપા.-8

શ્રી શ્રીજીમહારાજ ને, અનાદિ મહામુક્ત;

તેનો મહિમા ગાવવા, આવ્યા અબજીબાપા.-9

અનંત જીવ આ જગતના, મોકલવા પ્રભુ ધામ;

રતિલાલ કહે પ્રીતથી, આવ્યા અબજીબાપા.-10

- અ. મુ. પૂ. શ્રી રતિલાલ કરુણાશંકર ઓઝા

(બ) એ છે અબજીબાપા

અગણિત જીવ ઉદ્ધારવા, ખેલ ખેલે મહામુક્ત;

પહેલે નંબરે આવતા, એ છે અબજીબાપા.-1

મહાપ્રભુની મૂર્તિમાં, મસ્ત રહે અહોનિશ;

મસ્ત દશા છે જેમની, એ છે અબજીબાપા.-2

સહજ સમાધિ જેમને, રહે માસ બે માસ;

રસબસ છે જે મૂર્તિમાં, એ છે અબજીબાપા.-3

આત્યંતિક કલ્યાણની, કરતા જે વળી ખેડ;

મૂર્તિમોલ પકાવતા, એ છે અબજીબાપા.-4

વેષ ધર્યો કૃષિકારનો, બોલે ચાલે તેમ;

દિવ્ય દશા જ્યાં ઝળકતી, એ છે અબજીબાપા.-5

ભોળા જીવ જાણે નહિ, નર નાટકના ભેદ;

સુર મુનિને પણ અગમ જે, એ છે અબજીબાપા.-6

ધન્ય છે નિર્ગુણ સંતને, જેણે ઓળખ્યું મહારત્ન;

ચીંથરે વીંટ્યું રત્ન છે, એ છે અબજીબાપા.-7

ગજગતિ ચાલે ચાલતા, વળી કરતા રમૂજ અનેક;

સંત અખાડો હોય જ્યાં, એ છે અબજીબાપા.-8

સત્સંગનું જે તિલક છે, મદભરી જેની આંખ;

ગરવા ગુણ ગંભીર જે, એ છે અબજીબાપા.-9

તરી રહે જે એકલા, મર હોયે લાખું જન;

રતિલાલ કહે જાણજો, એ છે અબજીબાપા.-10

- અ. મુ. પૂ. શ્રી રતિલાલ કરુણાશંકર ઓઝા

(ક) એ તો અબજીબાપા

કરી ન શકે કોઈ કામ જે, ધરી શકે નહિ હામ;

સહેજે સાધે કામ તે, એ તો અબજીબાપા.-1

પાપી ફેલી જીવ જે, અસુર અંશ પ્રધાન;

તરત તેને પલટાવતા, એ તો અબજીબાપા.-2

કીટ ભ્રમરવત્ જે કરે, જીવમાંથી વળી શિવ;

જોડી દે જે મૂર્તિમાં, એ તો અબજીબાપા.-3

અજ્ઞાની ને પામર જીવો, તેનાં ન ગણે કર્મ;

એવું દિલ દરિયાવ છે, એ તો અબજીબાપા.-4

આગળ વંદે પાછળ નિંદે, 'પણ પણ' કરતા જેહ;

જાણે પણ નહિ ગણતા જેને, એ તો અબજીબાપા.-5

નિગમ જેને 'નેતિ' કહે છે, શ્રીજી કહે નિજ રૂપ;

રહી મૂર્તિમાં તાણે સૌને, એ તો અબજીબાપા.-6

એક પંક્તિમાં પીરસે સૌને, હોય રાહુ કે દેવ;

અભેદભાવે અમૃત આપે, એ તો અબજીબાપા.-7

દેવને અમૃત રગરગ વ્યાપે, રાહુને રહે કંઠ;

રાહુને પણ દેવ કરંતા, એ તો અબજીબાપા.-8

મૂર્તિ છે મહારાજની, દિવ્ય સદા સાકાર;

સત્સંગ જેને દિવ્ય જણાયો, એ તો અબજીબાપા.-9

ત્રિકાળમાં જે મૂર્તિ દેખે, રહે સદા જે મૂર્તિમાં;

રતિલાલ કહે આપે મૂર્તિ, એ તો અબજીબાપા.-10

- અ. મુ. પૂ. શ્રી રતિલાલ કરુણાશંકર ઓઝા