૧૧. જેતલપુર પ્રકરણ

વચનામૃત - 1

સંવત 1882 ચૈત્ર સુદિ - 3 = તા.10-4-1826, મંગળવાર.

જેતલપુર = અમદાવાદથી આશરે 20 કિલોમીટરે આવેલું ગામ. શ્રીજીમહારાજે અહીં ઘણી લીલાઓ કરી છે.

સામ્યાવસ્થા = સમ સ્થિતિ. ભગવાનનું જ્ઞાન થયા પછી જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે.

આપોપુ = પોતાપણું, આત્મભાવ, હુંપદ, આત્મત્વ.

વચનામૃત - 2

સંવત 1882 ચૈત્ર સુદિ - 3 = તા.10-4-1826, મંગળવાર.

(વચનામૃત - 1 સવારનું છે, આ તે જ દિવસે સાંજનું છે.)

યતિ = જિતાત્મા, યોગી, જતિ.

વચનામૃત - 3

સંવત 1882 ચૈત્ર સુદિ - 4 = તા.11-4-1826, બુધવાર. (વહેલી સવારે)

વૈરાગ્યની અવધિ = વૈરાગ્યની છેલ્લી ટોચ, છેડો, હદ, સીમા.

વચનામૃત - 4

સંવત 1882 ચૈત્ર સુદિ - 4 = તા.11-4-1826, બુધવાર. (બપોર પછી)

ષડ્ ઊર્મિ = જન્મ, મરણ, ભૂખ-તરસ, હર્ષ-શોક અથવા ઘડપણ, મરણ, ભૂખ-તરસ, શોક-મોહ અથવા ભૂખ-તરસ, ટાઢ-ગરમી, હર્ષ-શોક રૂપી મનના છ આવેગો.

વચનામૃત - 5

સંવત 1882 ચૈત્ર સુદિ - 5 = તા.12-4-1826, ગુરુવાર.

કસર = ખોટ

બરકત = સિદ્ધિ, લાભ, ફાયદો, સમૃદ્ધિ.

બીજા જાર = વ્યભિચારી પુરુષ

સોતા = સહિત.