વચનામૃત

૭૧. ભગવાન માફ ન કરે તેવા અપરાધનું લક્ષણ - ઈર્ષાનું રૂપ - શાસ્ત્રમાં નિરૂપેલ કલ્યાણની રીત - 'सर्व खल्विदं ब्रह्म' તથા 'घतवत्सर्गादि विनश्यति' એ શ્રુતિના અર્થ - પ્રત્યક્ષ ભગવાન મળ્યા પછી ધામ જોવાની લાલચ ન રાખવા વિશે બોધ.

0:000:00

સંવત 1876ના ચૈત્ર વદિ 4 ચતુર્થીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે કીર્તન-ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. પછી સોમલેખાચરે પ્રશ્ન પૂછ્યો જે,

પછી માતરે ધાધલે પૂછ્યું જે,

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએે જે,


ઇતિ વચનામૃતમ્ || 71 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્તનો દ્રોહ કરે તે અપરાધને અમે માફ કરતા નથી. (1) બીજામાં કોઈનું રૂડું દેખી ખમાય નહિ તે ઈર્ષ્યાનું રૂપ છે. (2) ત્રીજામાં જીવોના કલ્યાણને અર્થે અમે ર્મત્યલોકને વિષે દર્શન આપીએ છીએ ત્યારે અમારી દિવ્યમૂર્તિને મનુષ્યના જેવી દેખાડીએ છીએ. પણ મનુષ્યભાવ નથી, માટે મનુષ્યના જેવા દેખાતાં એવાં ઇંદ્રિયાદિક તત્વ તે દિવ્ય છે પણ ત્યાગ-ભાગ નથી, માટે ॥ सर्वं खल्विदं ब्रह्म ॥એ જે શ્રુતિએ કહ્યું છે તે મનુષ્યરૂપે દેખાતું એવું જે અમારું સ્વરૂપ તે બ્રહ્મ છે એટલે દિવ્ય છે, એવો એ શ્રુતિનો અર્થ છે પણ સમગ્ર જગત બ્રહ્મ છે, એમ એ શ્રુતિનો અર્થ ન સમજવો ને અમારી મૂર્તિ વિના જે માયિક નામરૂપ છે તે નાશવંત છે, એમ ॥ घटवत् सर्गादि विनश्यति ॥એ શ્રુતિનો અર્થ છે. (3) ચોથામાં અમને સદા સાકાર જાણીને ભક્તિ કરે તો કલ્યાણ થાય છે. (4) પાંચમામાં જીવના કલ્યાણને અર્થે અમે મૂર્તિ ધારીએ છીએ ત્યારે અમારું અક્ષરધામ ને દિવ્યમૂર્તિ એવા મુક્ત અને અમારાં સર્વે ઐશ્વર્ય તે સર્વે અમારી આ મૂર્તિના ભેળાં જ હોય છે, એમ સમજવું. (5) અને આંહીં જે ભક્તજન માયિક પદાર્થે કરીને અમારી તથા અમારા સંતની એટલે મુક્તની સેવા કરે છે તેને અમારી મૂર્તિનું દિવ્ય સુખ આપીએ છીએ. (6) બાબતો છે.