સંવત 1876ના મહા વદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાત:કાળે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 50 ||
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તેને ઝીણી બુદ્ધિવાળો કહ્યો છે અને એને બ્રહ્મની એટલે અમારી પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. (1) બાબત છે. (આ બ્રહ્મનો અર્થ પ્ર. 39ના બીજા પ્રશ્નોત્તરમાં કર્યો છે.)
પ્ર.૧ બુદ્ધિ અંધકારેયુક્ત વર્તે છે એમ કહ્યું તે કેવી રીતે વર્તે તે અંધકારેયુક્ત કહેવાય?
ઉ.૧ શ્રીજીમહારાજને વિષે પ્રીતિવાળા ભક્ત જગતથી ઉદાસ હોય, પણ જો તેને પ્રારબ્ધ વશે કરીને ગૃહસ્થાશ્રમમાં રહેવું પડ્યું હોય તો તેને ગૃહસ્થાશ્રમની રીતિ પ્રમાણે વર્તવું જોઈએ, પણ ઉદાસથકો વિષયને ભોગવે તે અંધકારેયુક્ત વર્તે છે એમ જાણવું; અને ત્યાગીમાં રહ્યો હોય તો પણ સારી પથારી, સારું ખાવાનું, સારું પાત્ર એ આદિક સારી વસ્તુને ગ્રહણ ન કરે ને જેવી તેવી વસ્તુએ કરીને ગુજરાન કરે અને સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની સ્મૃતિ રાખે પણ ક્રિયાની સ્મૃતિ ન રાખે, એવી રીતે વર્તે તે વિષયને વિષે અંધકારેયુક્ત વર્તે છે એમ જાણવું.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.