પત્ર : ૧૭૭
રાજા બી દુઃખિયા, રંક બી દુઃખિયા,
ધનપતિ દુઃખિત વિકારમેં;
બિના વિવેક ભેખ સબ દુઃખિયા,
જૂઠા તન અહંકારમેં.
એવું અવરભાવમાં છે. પરભાવમાં તો,
‘અખંડ અલૌકિક સુખ તારું,
જોઈ જોઈ મન મોહ્યું મારું,
ધરાધન તમ ઉપર વારું.’
એવું સુખ જ છે. વ્યવહારમાં રહ્યા એટલે વ્યવહાર તો કરવો જ પડે, પણ બધી ક્રિયામાં કર્તા મહારાજ છે, એમ જાણી બધું એમના હાથમાં છે, એવું અનુસંધાન રાખવું.