શ્લોક : ૧૭૫
नैष्ठिकव्रतवन्तो ये वर्णिनो मदुपाश्रया: ।
तै: स्पृश्या न स्त्रीयो भाष्या न न वीक्ष्याश्च ता धिया ॥ ૧૭૫॥
હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ; અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો; અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ; અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ.Д॥Д૧૭૫Д॥
ભાવાર્થ
નૈષ્ઠિકવર્ણી એટલે જીવંતપર્યંત અષ્ટવિધ બ્રહ્મચર્યનું પાલન કરનાર બ્રહ્મચારી. શ્રીહરિના આશ્રિત એવા જે નૈષ્ઠિકવર્ણીએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું, તે કેવી રીતે તો - સ્ત્રીની વાત ન સાંભળવી, તેના ગુણનું વર્ણન ન કરવું, સ્ત્રી સાથે હાસ્યવિનોદ ન કરવો, સ્ત્રીનું નિરિક્ષણ ન કરવું, સ્ત્રીની સાથે એકાંતમાં છાની વાત ન કરવી, સ્ત્રીનો સંકલ્પ ન કરવો, સ્ત્રીનો નિશ્ચય (બળ, યૌવન, વૃદ્ધ, રૂપ-કુરૂપાદિ વગેરે) ન કરવો તથા તેનો 'અંગ સંગ' - ક્રિયાથી સંભોગ ન કરવો.
વળી, અન્ન, જળ, કાષ્ઠ, પાત્રાદિકની યાચનામાં, પાગરણ વગેરે બાબતમાં અને નહિ જાણેલ પોતાના ઉતારાને યોગ્યસ્થાન તથા કોઈ પોતા પાસે બ્રહ્મચારી થવા આવે તેની કંઈ હકીકત પૂછવી પડે - આદિકનો પ્રશ્ન કરવો પડે તો તે વાર્તાલાપ સ્ત્રીને સાક્ષાત્ ન કરવો; કિંતુ કોઈ પુરુષને દ્વારભૂત કરીને તે દ્વારા કહેવું.
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીએ સ્ત્રીની જેમ જ ધનનો પણ દૂરથી ત્યાગ કરવો. એટલે કે તે ધનનો ક્યારેય સ્પર્શ પણ ન કરવો તથા સોનું-રૂપું આદિક દ્રવ્ય પણ પોતાની પાસે રાખવું નહિ, તેમ જ પોતાની સત્તાવાળું કરીને બીજા પાસે રખાવવું પણ નહિ.