શ્લોક : ૫૫

ये त्वम्बरीषवद्भक्ता: स्युरिहात्मनिवेदिन: ।

तैश्च मानसपूजान्तं कार्यमुक्तक्तमेण वै ॥ ૫૫ ॥

અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ, પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજાપર્યંત સર્વે ક્રિયા કરવી. ॥ ૫૫ ॥

ભાવાર્થ

અને જેમ પરોક્ષ અવતારના ભક્તોમાં અંબરીષ રાજા આદર્શ આત્મનિવેદી ભક્ત છે, તેમ શ્રીજીમહારાજના એકાંતિક ભક્તોએ પણ અગાઉના શ્લોકોમાં કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજાપર્યંત સર્વે ક્રિયા કરવી.

(આ એકાંતિક ભક્તોના લક્ષણ 'શિક્ષાપત્રી રહસ્યસાર: ખંડ-૧' માંથી જાણવા)