૨૨૫ - ગોપાળલાલભાઈનીપૂજા

0:000:00

પછી સૌ ડભાણ થઈ વડતાલ આવ્યા ને ગોમતીજીને કાંઠે વાડીમાં ઉતારો કર્યો, ત્યાં કાણોતરના બાપુભાઈ આવ્યા તે દંડવત્ કરી મળ્યા. પછી સૌએ મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યા ને હેતવાળા સંત-હરિભક્તોને મળી સભામાં બેઠા. પછી મોડેથી ઠાકોરજીને જમાડી કથાવાર્તા કરી ઉતારે પધાર્યા. ત્યાં ઠાસરાના સૂબા ગોપાળલાલભાઈ હેતભર્યા દર્શન કરવા આવ્યા; તેમણે દંડવત્ કરી બાપાશ્રીને ફૂલના હાર પહેરાવી આરતી ઉતારવા માંડી. ત્યારે સંતોમાંથી કોઈએ આરતી ઉતારવાની ના પાડી, તેને પોતે એમ કહ્યું જે, ‘તમે મને કહો છો, પણ શ્રીજીમહારાજે મને રાત્રિએ દર્શન દઈને કહ્યું છે જે, અમારા અનાદિ મુક્તરાજ વડતાલ આવ્યા છે, માટે દર્શને આવજો, એમનાં દર્શન તથા સેવાનું ફળ અમારાં દર્શન-સેવા જેવું જ છે, તેથી હું અહીં આવ્યો છું,’ એમ કહી આરતી ઉતારી ગદગદ કંઠે સ્તુતિ કરી. પછી પોતે મૂળા લાવેલા તે પ્રસાદીના કરાવી, એ પ્રસાદી જમનારાને અક્ષરધામમાં તેડી જવાનો વર માગ્યો. ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! આ મૂળાની પ્રસાદી જે જમશે તેને અમે અક્ષરધામમાં તેડી જશું.’ આવી રીતે તેમણે બાપાશ્રીને રાજી કર્યા.